કોરોના મહામારીને ધ્યાને લઈને પશ્ચિમ રેલવે દ્વારા પાર્સલ માટે અનેક સ્પેશ્યલ ટ્રેનો ચાલી રહી છે. જેના માધ્યમથી દેશભરમાં મેડીકલ સાધનો, દવાઓ, અનાજ વગેરે જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવી રહી છે.
આ અંતર્ગત હવે ઓખા-ગુવાહાટી તથા પોરબંદર-શાલીમાર વચ્ચે 42 પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.