દેશમાં સંક્રમણ વધતા કેન્દ્રનો નિર્ણય: તમામ ઉત્પાદન દેશમાં જ ઉપયોગમાં લેવાશે : 6.40 કરોડ ડોઝ નિકાસ થયા; હાલ વધુ નહી: કોવિશિલ્ડ જ નિકાસ થતી હતી: વેકસીનેશનનો દાયરો વધારતા પુરતા ડોઝ ઉપલબ્ધ બનાવવા પુર્વ આયોજન
ભારતમાંથી અત્યાર સુધીમાં 6.40 કરોડ ડોઝ વિદેશમાં નિકાસ કરી ચૂકયુ છે અને વિશ્ર્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેણે નાના દૂરના દેશોને પણ વેકસીન પહોચાડી છે પણ હવે દેશમાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. સરકારે મંગળવારે જ 45 વર્ષ થી ઉપરના તમામ માટે વેકસીન ઉપલબ્ધ બનાવવાની જાહેરાત કરી છે.
જેના કારણે દેશમાં વધુ ડોઝ ઉપલબ્ધ હોય તે જરૂરી છે. સરકારે હાલની બે વેકસીન નિર્માતા કંપની કોવિશિલ્ડ અને કોવિકસીનને તેના વેકસીન ઉત્પાદનમાં વેગ લાવવા જણાવ્યું છે. જો કે સરકારે સ્પષ્ટ કર્યુ છે કે આ ફકત કાચલાવ પગલુ છે. દેશમાં વેકસીન ઉપલબ્ધી પુરતી બને પછી ફરી કંપનીઓન નિકાસની મંજુરી અપાશે. જો કે દેશમાં મુખ્યત્વે કોવિશિલ્ડની જ નિકાસ થાય છે જે ઓકસફર્ડ યુનિ. અને એસ્ટ્રાજેનેકાની મદદની વેકસીન તૈયાર કરે છે અને તેણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સ્થાન પણ મેળવ્યું છે પણ હાલ તે કંપની પણ કોઈ નવા કરાર કરશે નહી. દેશમાં વેકસીનેશનમાં ઝડપ લાવવી જરૂરી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર સહિતના રાજયો જયાં કેસ ખૂબ જ ઝડપે વધી રહ્યા છે તે જોતા કેન્દ્રએ આ નિર્ણય લીધો છે. સરકારે વેકસીનેશનનો દાયરો વધાર્યો છે તો સાથોસાથ વેકસીનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારીને પણ વધુ લોકોને પ્રથમ ડોઝ મળી જાય તે નિશ્ર્ચિત કર્યુ છે.